(૧) જૈષ્ઠાયાય વૃદ્ધ અજાય થા । (ઋગ્વેદ-૧-૨-૫)
”જીવન” દિવસો પસાર કરવા માટે જ નહિ પરંતુ કંઈક મહાન કાર્યો કરવા માટે છે.
(૨) ઉચ્ચ તિષ્ટ મહતે સૌભાગ્ય (અથર્વવેદ ૨-૬-૨)
જેઓ મહાપુરુષ બનવા માટેનાં પ્રયત્નો કરે છે તેઓનું જીવન ધન્ય-ધન્ય બની જાય છે.
(૩) આપ્નુ હિ શ્રેયાં સમતિ સમં કામ । (અથર્વવેદ)
બુદ્ધિમાન મનુષ્યોનાં આદર્શોને જીવનમાં ગ્રહણ કરો. મુર્ખાઓ સાથે પોતાની તુલના ના કરો.
(૪) સહો રુરોહ રોહિત: । (અર્થવ ૧૩-૩-૨૬)
જેઓ પ્રયત્નશીલ છે. એમની જ ઉન્નતિ થાય છે. કેવળ ભાગ્ય ના ભરોસે બેસી રહેનાર આળસુ સદા દીન હીન જ રહે છે.
(૫) સુકર્માણ સુરુચ: । (અથર્વ ૧૮-૩-૨૨)
જે સત્કર્મ કરે છે તેને જ યશ-કીર્તિ મળે છે.
(૬) મૂર્ધા નં રાય આરંભે । (ઋગ્વેદ – ૧-૨૪-૬/૫)
ઐશ્વર્યને પ્રાપ્ત કરીને જ મહાન કાર્યો કરો, નબળા વિચારો મનુષ્યને નબળા કામો કરી નબળો જ રહે છે.
(૭) અયુતોડહ મયુતો મ આત્મા । (અથર્વવેદ ૧૯-૫૧-૧)
ધર્માત્મા માં દશ હજાર માણસો જેટલું બળ હોય છે. સચ્ચાઈના માર્ગ ઉપર ચાલનારને કોઈ હરાવી શકતંર નથી.
(૮) મા યુષ્મ હિ મનસા દૈવ્યેન । (અથર્વવેદ ૭-૫૨-૨)
દિવ્ય મનને લડાઈ ઝઘડામાં ન ફસાવો.
(૯) આરે દ્વેષાં જનુતર્દધામા । (ઋગ્વેદ ૫-૪૫-૫)
જે દ્વેષ કરે છે એનું પોતાનું જ વધુ અહિત થાય છે.
(૧૦) પાવકાન: સરસ્વતી । (ઋગ્વેદ ૧-૩-૧૦-૧૨)
વિદ્યાર્થી માણસ પવિત્ર બને છે.